હવાઈ મુસાફરી દરમિયાન ઘણીવાર અન્ય મુસાફરો માટે ઉભી થતી વિસમ પરિસ્થિતિઓના કારણે કોઈ પેસેન્જરને વિમાનમાંથી ઉતારી મુકવામાં આવતા હોય છે પરંતુ તેમા માટે અનેક કરણો જવાબદાર હોય છે પરંતુ કેનેડામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી હતી કે એક વ્યક્તિને વિમાનમાંથી ફક્ત એટલા માટે જ ઉતારી મુકવામાં આવ્યો હતો કારણ કે તેના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેડાની જેંજ એર લાઈન્સે એક મુસાફરના શરીરમાંથી આવી રહેલી વિચિત્ર પ્રકારની દુર્ગંધના કારણે તેને વિમાનમાંથી ઉતારી મુક્યો હતો. આ દુર્ગધ વિમાનમાં બેઠેલા અન્ય મુસાફરો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ હતી.
જેંજ એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "આસપાસના મુસાફરોએ આ બાબતની ફરિયાદ કરી હતી અને તેના કારણે એરલાઈન્સે આ પગલું ભરવું પડ્યું હતું. મુસાફરોની સુવિધા, આરામ અને સુરક્ષાએ એરલાઈન્સની પ્રાથમિકતા છે. જો વિમાનમાં સવાર બહુમતી ધરાવતા મુસાફરોને મુશ્કેલી પડતી હોય ત્યારે એરલાઈન્સે તેમની વાતનું ધ્યાન રાખવું પડતું હોય છે તેમ તેમણે જણાવ્યું હતું."
જો કે પ્રવક્તાએ વિમાનમાંથી ઉતારી મુકવામાં આવેલા મુસાફરનુ નામ જણાવવાનો ઈનકાર કર્યો હતો.
જો કે આમ તો કોઈ પણ એરલાઈન્સ કંપનીમાં ન તો એવી કોઈ જોગવાઈ છે કે ન તો કોઈ એવી નીતિ છે કે કોઈ મુસાફરને શરીરની દુર્ગંધના કારણે ઉતરી મુકવામાં આવે પરંતુ કેનેડાને જેંજ એરલાઈન્સે અન્ય મુસાફરોની વાતને ધ્યાનમાં રાખીને આમ કર્યું હતું.

0 comments:
Post a Comment